Skip to main content

મોરબી ક્રાઈમ ન્યૂઝ:બીમારીથી કંટાળી વેપારીએ મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી આયખું ટુંકાવ્યું, ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એસીડ પી લેતા પૌઢનું મોત નીપજ્યું

મોરબીના મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી સોની વેપારીએ આપઘાત કરી લીધો હતો. જે બનાવ મામલે મોરબી તાલુકા નોંધ કરી છે. મોરબી શહેરના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૌઢ પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબીના શનાળા રોડ પર પુનીતનગરમાં રહેતા મનોજભાઈ ઉર્ફે લાલો રાણપરા નામના સોની વેપારીએ જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમના સ્લીપ-વે બ્રીજ પર પોતાના ચપ્પલ-મોબાઈલ અને પાકીટમાં સુસાઈડ નોટ મૂકી મચ્છુ 2 ડેમના પાણીમાં કુદી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનોજભાઈ રાણપરા નામના વેપારી અઢારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય જેની દવા ચાલુ હોય અને આઠેક વર્ષ પહેલા સોનીકામ કરતી વખતે સોનું ગાળવાની ગેસ ગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસ ગન સળગાવતા ભડકો થતા ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઇ ગઈ હતી. જેથી વ્યવસ્થિત સમજી સકાય તેમ બોલી નહિ શકવાની તકલીફથી પીડાતા હતા. જેથી બીમારીથી કંટાળી જઈને મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી 2 વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ મુછ્ડીયા નામના પૌઢ ઘરે બીમારી સબબ એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.


http://dlvr.it/T67csx

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n