Skip to main content

10 દિવસીય સમર કેમ્પ:બ્રહ્માકુમારીઝ દ્વારા મૂલ્ય વર્ધક 'બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર' યોજાઈ

ભવિષ્યના મૂલ્યનિષ્ઠ ભારતના ઘડવૈયા એવા બાળકો માટે બ્રહ્માકુમારીઝ દ્વારા મૂલ્ય વર્ધક ‘બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર’ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પ આધ્યાત્મિક મૂલ્ય પર આધારિત હોવાથી એનું ઘણું જ મહત્વ વધી જાય છે. જે બાળકોમાંની હિંસક તેમજ અન્ય નકારાત્મક વૃત્તિઓને સમાપ્ત કરવાનું કાર્ય કરશે. મહેસાણામાં બાળકોના મૂલ્ય ઘડતર માટે જેલ રોડ પર સ્થિત બ્રહ્માકુમારીઝના પીસ પેલેસ ખાતે 10 દિવસીય ‘બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર’ ના ઉદ્ઘાટન અવસર પર ઉક્ત ઉદગાર વ્યક્ત કરતા મહેસાણા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ જેઠાભાઈ આઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “શાળાઓ તો બાળકોને માત્ર શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, જ્યારે બાળકોમાં ધર્મ, આધ્યાત્મ, ત્યાગ, મુલ્યો શીખવવાનું કામ આવી સંસ્થાઓ કરી રહી છે. જે ખૂબ જ સરાહનીય છે.” એસ. આર. પટેલ એન્જીનીયરીંગ કોલેજ, ઊંઝાના પ્રિન્સીપાલ અમીબેન શાહે બાળકોને આધ્યાત્મિક સશક્ત બનાવતાં વ્હાલ સોયી ભાષામાં સમજાવ્યું હતું કે, “જેમ તમારા પિતા તમને પ્રેમ કરે છે અને એમને આપણે ગુડ મોર્નિંગ કરીએ છીએ તો પરમાત્મા પિતા પણ આપણને સૌને વ્હાલ કરે છે તો આપણે પણ રોજ એ પરમશકિતને સવારે ઉઠતાં જ ગુડ મોર્નિંગ કરીએ.” આ વાત સમજાવી એમણે બાળકોમાં સારા સંસ્કારોના સિંચનની ખુબ જ સરસ વાતો કરી. સમર કેમ્પના આયોજક અને બ્રહ્માકુમારીઝ, મહેસાણા ઉપક્ષેત્રના સંચાલિકા આદરણીય રાજયોગિની સરલાદીદીએ આશીવર્ચન આપતાં બાળકોને ધ્રુવ તારા સમાન ચમકવા કહ્યું કે, “જેમ આપ સૌને ધ્રુવ તારો જોવો ગમે છે એની ચમક આપ સૌને ગમે છે. તો આપણે પણ ધ્રુવની જેમ આપણા માત-પિતાના આજ્ઞાકારી, ગુણવાન અને તપસ્વી બની આ વિશ્વ ગગનમાં ધ્રુવ તારા સમાન ચમકવાનું લક્ષ્ય રાખવાનું છે.” મહેસાણાના વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા બ્રહ્માકુમારી કુસુમબેને પણ આ પ્રસંગે પોતાની શુભ પ્રેરણાઓ બાળકોને આપી. રાજયોગ શિક્ષિકા અને આ સમર કેમ્પના સંચાલનકર્તા બ્રહ્માકુમારી શિલ્પાબેને સમર કેમ્પના આયોજન વિશે સમજુતી આપતા જણાવ્યું કે, આ કેમ્પ દરમિયાન બાળકોને વિભિન્ન રચનાત્મક પ્રવૃત્તિઓ, મૂલ્યવર્ધક હરીફાઈઓ, આધ્યાત્મિક જાગૃતિ દ્વારા બાળકોને ગુણવાન અને શીલવાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 70 બાળકોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ પ્રથમ સૌ બાળકોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું. એક નાની કુમારિકાએ સુંદર સ્વાગત નૃત્ય રજુ કરી સૌના દિલ જીતી લીધા. ઉદ્ઘાટન કાર્યક્રમના અંતમાં પરમાત્મા પિતાનો દિવ્ય સંદેશ આપતા ફુગ્ગાઓ બાળકો અને મહેમાનો દ્વારા ઉડાડવામાં આવ્યા જેનાથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


http://dlvr.it/T69yt5

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp