Skip to main content

તસ્કરી:આશાપુરી મંદિર વોક-વે પાસે કોન્ટ્રાકટરનો આઇફોન ચોરાયો

નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટરનો આશાપુરી માતાજીના મંદિર પાસે આવેલ વોક-વેના ઓટલા પર બેસેલા હતા ત્યારે તેમનો આઇફોન ચોરાઇ ગયાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઇ છે. નવસારીના શાંતાદેવી રોડ ઉપર આવેલ વિદ્યાભારતી સોસાયટીમાં રહેતા રામજીભાઈ પટેલ આશાપુરી મંદિર પાસે કોઈ કામ માટે આવ્યા હતા અને ત્યાં આવેલ ઓટલા ઉપર બેસેલા હતા. ત્યારે અજાણ્યા યુવાને રામજીભાઈના હાથમાં રાખેલ આઇ ફોન કીમત રૂ.44 હજાર ચોરી કરીને ભાગી ગયો હતો. જે બાબતે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ.વી.પી.ચૌધરી કરી રહ્યા છે.


http://dlvr.it/T4YnG6

Comments