Skip to main content

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ:સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સંમેલન યોજાયું, બુથ લેવલના કાર્યકરોને ભાજપ તરફથી પ્રચાર તેજ કરવા આહવાન

સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રવાસ સંમેલન યોજાયું હતું. જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું આગમન થયું હતું. જેમાં બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે સંમેલનનો કાર્યક્રમ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજય કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જયંતિ કવડિયા, ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે સુરેન્દ્રનગર ભાજપ લોકસભા બેઠક ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રવાસ સંમેલનમાં સાત વિધાનસભાના આગેવાનો તેમજ બુથ લેવલના કાર્યકરોને ભાજપ તરફથી પ્રચાર તેજ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રવાસ સંમેલન યોજાતા કાર્યકર્તાઓમાં નવા જોશનું વાતાવરણ જોવા મળ્યું હતું.


http://dlvr.it/T4mtqY

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n