Skip to main content

ભાઈએ ભાઈને છરીના ઘા ઝીંકી દેતા મોત:હળવદના ચુંપાણી ગામે બે કુટુંબી ભાઈઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલીમાં આધેડની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

હળવદ તાલુકાના ચુંપાણી ગામે ગામના ઝાંપા પાસે બે કુટુંબી ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક ભાઈએ બીજા ભાઈને છરીના ઘા ઝીંકી દેતા મોત નીપજ્યું છે. હાલ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચુંપાણી ગામે રહેતા રામાભાઇ ઓળકીયા ઉમર વર્ષ 55 અને તેમનો કુટુંબિક ભાઈ ગણેશ ઓળકીયા ગામના ઝાંપા પાસે ઉભા હતા. ત્યારે કોઈ કારણોસર સામાન્ય બાબતે બોલાચાલી થતાં સામેના કુટુંબીક ભાઈએ રામાભાઇને છરીના ઘા ઝીંકી દેતા રામાભાઇ ત્યાં ઢળી પડ્યા હતા. બનાવવાની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત રામાભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ હળવદ પોલીસને થતાં પોલીસ સ્ટાફે ચુંપાણી ગામે તેમજ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.


http://dlvr.it/T4gRgM

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n