ગાંધીધામમાં બદકામના ઈરાદે ફરિયાદીની સગીર વયની દિકરીને ભગાડી જઈને બલાત્કાર ગુજારવના કેસમાં કોર્ટ મુખ્ય આરોપીને દસ અને મદદકર્તાને સાત વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ કેસની હકીકત એવી છે કે ભોગબનનારના પિતા દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો કે આરોપી મોહમ્મદ શારરુખ મોહમદ જગનમિયા બડાઈ (રહે. ગાંધીધામ) એ ફરિયાદીની 17 વર્ષ અને 2 માસની દિકરીને બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવીને ફરિયાદીના કાયદેસરના વાલીપણાથી આરોપીએ અપહરણ કરીને ભોગબનનાર સાથે શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. તો બીજા બે આરોપી રન્જીતકુમાર શ્રીકાશી ઠાકુર અને આરોપી લકી ઉર્ફે પ્રકાશ શ્રીશત્રુઘન ઠાકુરએ તેમને ભગાડવામાં મદદગારી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ પુરતા પુરાવા હોવાથી પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને આ કેસ બીજા એડિસનલ જજની કોર્ટમાં ચાલી જતા આરોપી લકી ઉર્ફે પ્રકાશ મરણ ગયેલ હોવાથી અબેટ કર કેસમાં 15 સાહેદોની તપાસ, 29 દસ્તાવેજી આધારો રજુ કરાયા હતા. જેનું કોર્ટે મુલ્યાંકન કરીને સરકાર તરફે વકીલ મહેંદ્રસિંહ આર. જાડેજા અને મુળ ફરિયાદીના વકીલ હેતલકુમાર એચ. સોનપાર, પ્રકાશ એન. દેવરીયા તથા સદામહુસેન બી. લાડકે ધારદાર દલીલને ધ્યાને લઈને આરોપી મોહમ્મદ સારુખ બડાઈ સામે તકસીરવાર ઠેરવી અલગ અલગ કલમો તળે દસ વર્ષની સખત કેદની સજા અને 7 હજારનો દંડ તેમજ બીજા આરોપી રન્જીતકુમાર ઠાકુરને 7 વર્ષની સખત કેદની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ વસુલ થયાથી 26 હજાર અને ભોગબનનારને વળતર તરીએ ચુકવી આપવા અને વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ અનવે બે લાખ વળતર પેટે ચુકવવા ભલામણ કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
http://dlvr.it/T4psy0
http://dlvr.it/T4psy0

Comments
Post a Comment