Skip to main content

વેગેનાર ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત:કડીના વડસ્મા કરજીસણ રોડ પર કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત; બાઈક પર સવાર મિત્રને ઇજા

કડી તાલુકાના ચાંદરાડા ગામનો યુવક તેમજ તેનો મિત્ર બાઈક લઈને મામાના ઘરે મેઉ ગામે જઈ રહ્યા હતા. યુવક તેમજ તેનો મિત્ર બાઈક લઈને કડી તાલુકાના કરજીશણ વડસ્મા રોડ ઉપર પહોંચતા સામેથી આવી રહેલ વેગેનાર ગાડીચાલકે બંને યુવકોને ધડાકાભેર ટક્કર મારતા બંને યુવકો રોડ ઉપર પછડાયા હતા. જ્યાં એક યુવકનું કરુણ મોત થયું હતું. જ્યારે એક યુવકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કડી તાલુકાના ચાંદરડા ગામના અશ્વિન વિષ્ણુજી ઠાકોર (ઉંમર વર્ષ 21) પોતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમજ તેના પિતા વિષ્ણુજી ઠાકોર છૂટક કામ ધંધો કરી પરિવારનું ગુજરાત ચલાવતા હતા. જ્યારે આજે રવિવાર હોવાથી અશ્વિન ઠાકોર તેમજ તેના ગામનો મિત્ર જૈમીન ઠાકોર બાઈક લઈને અશ્વિનના મામા મેઉ ગામે રહેતા હોય તેમને મળવા માટે ઘરેથી નીકળ્યા હતા. અશ્વિન તેના મામાના ઘરે જઈ રહ્યો હતો અને તેના મિત્રને સાથે લઈને જઈ રહ્યો હતો. જ્યારે બંને મિત્રો બાઈક લઈને કડીના વડસ્મા કરજીસણ રોડ ઉપર પહોંચતા સામેથી આવી રહેલ વેગેનાર ગાડીએ બાઈક લઈને જઈ રહેલા બંને યુવકોની ધડાકાભેર ટક્કર મારી હતી. ચાંદરડા ગામના અશ્વિન ઠાકોર અને જૈમીન ઠાકોર અશ્વિનના મામા મેઉ ગામે રહેતા હોય અને આજે રવિવારની રજા હોવાથી બાઈક નંબર GJ.02EE.3309 લઇને મામાના ઘરે મળવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન કડીના વડસ્મા અને કરજીસણ રોડ પહોંચતા સામેથી આવી રહેલ વેગેનાર ગાડીએ તેઓને ટક્કર મારતા બંને મિત્રો રોડ ઉપર બાઈક સાથે પટકાયા હતા. જ્યાં અશ્વિન ઠાકોરનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું તેમજ જૈમીન ઠાકોરને ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને લઈ લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા તેમજ પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. યુવકનું કરુણ મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાને લઇ નંદાસણ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને વેગેનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


http://dlvr.it/T4tGCq

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp