Skip to main content

તપાસ આદરી:મંદિર, ટેઈલર, દુકાનમાં ચોરી: 82 હજારનો હાથફેરો

જુનાગઢ શહેરમાં એક જ રાતમાં મંદિર, ટેઈલર અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક દુકાનમાં ચોરીની કોશિષ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં ખલીલપુર રોડ પર સુભાષનગરમાં આવેલો શુભેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારની વહેલી સવારે તસ્કરો ખાબક્યા હતા. અને મંદિરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવાલમાં ફિટ કરેલ દાન પેટી તોડી એમાંથી રૂપિયા 50,000ની રોકડ રકમનો હાથફેરો કર્યો હતો. સવારે 5 વાગ્યે મંદિરના મહંત પ્રભાતભાઈ છગનભાઈ ભારથી સેવા પૂજા કરવા ગયા હતા ત્યારે મંદિરમાં ચોરી થયાની જાણ થઈ હતી. મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરા જોતા તેમાં 2 અજાણ્યા ઇસમ ચોરી કરતા માલુમ પડ્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસે મહંતની ફરિયાદ લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ખલીલપુર રોડ વિસ્તારના શિવ મંદિરની સાથે સાથે શનિવારની વહેલી સવારે શહેરના માંગનાથ રોડ વિસ્તારમાં આવેલ અમિત વિસનદાસ ગલાણીની ફેમે સિલેક્શન નામની દુકાનના તાળા તોડી રોકડ રકમ, ચાંદીના સિક્કા, ડીવીઆર મળી કુલ રૂા.15 હજારના મુદ્દામાલની ચોરી ગયા હતા આજ પ્રમાણે એચ. એન. બ્રધર્શ ટેઇલરમાંથી રૂપિયા 17 હજારની રોકડનો હાથફેરો થયો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેની જાણ થતાં એ ડિવિઝનના પીઆઈ વી. જે. સાવજે સ્ટાફ સાથે દોડી જઈને તપાસ શરૂ કરી હતી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ પાન બીડીની દુકાનમાંથી પણ ચોરીનો પ્રયાસ થયો હતો. આમ એક જ રાતમાં તસ્કરો મંદિર, ટેઈલર, 1 દુકાનમાંથી રૂપિયા 82 હજારના મુદ્દામાલ ચોરી કરી હતી. સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા એલસીબી, એસઓજી દ્વારા તપાસ જૂનાગઢ શહેરમાં થયેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા અને તસ્કરોને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી, એ તથા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. સીસીટીવી ફૂટેજ મુજબ દરેક ચોરીમાં 3 શખ્સની સંડોવણી સામે આવી છે. > હિતેશ ધાંધલ્યા, ડીવાયએસપી


http://dlvr.it/T4rstT

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n