Skip to main content

પરંપરા:ખેડબ્રહ્માના કલોલકંપામાં વરતારા મુજબ આ વર્ષે 40 ઇંચ વરસાદ પડવાની આગાહી

ખેડબ્રહ્માના કલોલકંપામાં જોવામાં આવેલ વરતારા મુજબ આ વર્ષે 40 ઇંચ વરસાદની આગાહી કરાઇ છે. કલોલકંપાના યુવક મંડળના હસમુખભાઈ, નિલેશભાઈ, જયેશભાઇ, મુકેશભાઈના જણાવ્યા અનુસાર જ્યાં હોળી પ્રગટાવવાની હોય છે ત્યાં પ્રથમ એક ખાડો ખોદવામાં આવે છે અને તેમાં ચાર દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાના ચાર માટીના ઢેફા મૂકાય છે. તેના ઉપર પાણી ભરેલો ઘડો મૂકી તેના ઉપર કુલળીમાં ખીચડી મૂકાય છે. પછી હોળી પ્રગટાવ્યાં બાદ તેને ખોલી ભેજ મુજબ વરતારો કરાય છે. જે મુજબ ચાર ઢેફા એટલે ઉત્તર એટલે અષાઢ, દક્ષિણ એટલે ભાદરવો, પૂર્વ એટલે શ્રાવણ અને પશ્ચિમ એટલે આસો ગણવામાં આવે છે આ વર્ષે અષાઢમાં 20 ટકા, શ્રાવણમાં 15 ટકા, ભાદરવામાં 25 ટકા અને આસોમાં 40 ટકા મળી સિઝનમાં કુલ 40 ઇંચ વરસાદની આગાહી કરાઇ છે.


http://dlvr.it/T4g0kD

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n