Skip to main content

હાઇકોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા:સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વિસ્તારમાં કૂવો ખોદવા ગયેલા મજૂરોમાંથી 3ના ઝેરી ગેસથી થયા હતા મોત

સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકે સત્યવીર કરપડા અને રણજીત ડાંગર સામે IPC 304 અને 314 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે બંને આરોપીઓએ સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નામંજૂર કરાતા એડવોકેટ આશિષ ડગલી મારફતે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જજ એમ.આર. મેંગડેની કોર્ટમાં રજૂ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા હતા. ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા
કેસને વિગતે જોતા સુરેન્દ્રનગરના દેવપરા ગામની સીમમાં આવેલી કોલસાની ખાણમાં પુરાયેલા કૂવાને ખોદવા માટે આરોપીઓએ મજૂરોને બોલાવ્યા હતા. જેમને કોઈપણ જાતના સલામતીના સાધનો કે ઓક્સિજન માસ્ક આપ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે ગેસ લીક થવાથી મજૂરોને ગૂંગળામણ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા. કોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા
આથી 28 વર્ષીય બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેઓ ફેબ્રુઆરી, 2024થી જેલમાં છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને 10 હજારના પર્સનલ બોન્ડ, ભારત નહીં છોડવા, પાસપોર્ટ જમા કરાવવા જેવી શરતો સાથે જામીન આપ્યા હતા.


http://dlvr.it/T4lmZx

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...