હાઇકોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા:સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વિસ્તારમાં કૂવો ખોદવા ગયેલા મજૂરોમાંથી 3ના ઝેરી ગેસથી થયા હતા મોત
સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકે સત્યવીર કરપડા અને રણજીત ડાંગર સામે IPC 304 અને 314 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે બંને આરોપીઓએ સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નામંજૂર કરાતા એડવોકેટ આશિષ ડગલી મારફતે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જજ એમ.આર. મેંગડેની કોર્ટમાં રજૂ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા હતા. ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા
કેસને વિગતે જોતા સુરેન્દ્રનગરના દેવપરા ગામની સીમમાં આવેલી કોલસાની ખાણમાં પુરાયેલા કૂવાને ખોદવા માટે આરોપીઓએ મજૂરોને બોલાવ્યા હતા. જેમને કોઈપણ જાતના સલામતીના સાધનો કે ઓક્સિજન માસ્ક આપ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે ગેસ લીક થવાથી મજૂરોને ગૂંગળામણ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા. કોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા
આથી 28 વર્ષીય બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેઓ ફેબ્રુઆરી, 2024થી જેલમાં છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને 10 હજારના પર્સનલ બોન્ડ, ભારત નહીં છોડવા, પાસપોર્ટ જમા કરાવવા જેવી શરતો સાથે જામીન આપ્યા હતા.
http://dlvr.it/T4lmZx
કેસને વિગતે જોતા સુરેન્દ્રનગરના દેવપરા ગામની સીમમાં આવેલી કોલસાની ખાણમાં પુરાયેલા કૂવાને ખોદવા માટે આરોપીઓએ મજૂરોને બોલાવ્યા હતા. જેમને કોઈપણ જાતના સલામતીના સાધનો કે ઓક્સિજન માસ્ક આપ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે ગેસ લીક થવાથી મજૂરોને ગૂંગળામણ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા. કોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા
આથી 28 વર્ષીય બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેઓ ફેબ્રુઆરી, 2024થી જેલમાં છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને 10 હજારના પર્સનલ બોન્ડ, ભારત નહીં છોડવા, પાસપોર્ટ જમા કરાવવા જેવી શરતો સાથે જામીન આપ્યા હતા.
http://dlvr.it/T4lmZx
Comments
Post a Comment